Gujarati Translation of my article, http://simerg.com/stories-of-ismaili-volunteers/gulamhusen-alibhai-jamani-an-ismaili-farmer-who-has-served-the-mahuva-jamat-all-his-life/
તે શું છે જે એક વ્યક્તિને ગર્વ થી તેની જમાત નો સભ્ય બનાવે છે? આ આપણને તે જમાતમાં સ્વ્તંત્રપણે, સ્વેચ્છાએ (વોલીંટરી) અને માનાર્થે (હોનરરી) સેવા આપતા દરેક વયના જમાતી સભ્યોનું જમાત પ્રત્યે સમર્પણ થકી જાણવા મળે છે. જમાતો માટે અને ઝમાના ના ઇમામ માટે, સેવા નો આજ નૈતિક સિદ્ધાંત હમેશા ઇસ્માઇલિ જમાતો માટે એક શક્તિ નો સ્ત્રોત રહ્યો છે.
હું મહુવા માં રહું છું, જે ગુજરાત ના ભાવનગર જિલ્લા માં આવેલું છે. મહુવા તેના ખેતી પ્રધાન ખાદ્ય પદાર્થો, નાળિયેર ના બગીચાઓ અને ડિહાઈડ્રેશનો માટે જગ વિખ્યાત છે. મહુવા માં એક હજાર થી પણ વધુ ઇસ્માઇલિઓ વસે છે. આએ જમાત મા ના એક એવા ઇસ્માઇલિ ભાઈ છે, જેઓ તેમની વોલીંટરી સેવા માટે વરસો થી જાણીતા છે, અને તેઓ છે, ગુલામહુસૈનભાઈ અલીભાઇ જમાણી.
ગુલામહુસૈનભાઈ અલીભાઇ જમાણી નો જન્મ 5 જુલાઈ 1936 ના મહુવા ખાતે થયો હતો. તેઓ ના પિતા, અલીભાઇ વ્યવસાયે ખેડૂત હતા. અલીભાઇ ના સાત બાળકોમાના, ગુલામહુસૈનભાઈ છઠ્ઠા. જ્યારે ગુલામહુસૈનભાઈ ચોથી કક્ષા (ક્લાસ) માં હતા, ત્યારે તેમના મોટા ભાઈ ખુબજ બીમાર પડ્યા અને તેના કારણે ગુલામહુસૈનભાઈ ને પિતા અલીભાઇ ની ખેતી માં મદદ કરાવવા, ભણતર છોડવું પડ્યું. ગુલામહુસૈનભાઈ નું બચપન બળદ ગાડીઓ અને કાચા રસ્તાઓ ના યુગમાં, નાટકો અને રંગ હિન (બ્લેક એન્ડ વ્હાઇટ), મૂંગા ફિલ્મો ના યુગ માં વિત્યુ છે. બચપન થીજ તેઓને દરરોજ, બંને સમય, જમાતખાને આવવાની ટેવ.
બચપન માં ગુલામહુસૈનભાઈ જે જમાતખાને જતાં, તે મહુવા માંનુ પહેલું જમાતખાનું હતું જે ખૂનીખાચા વિસ્તાર માં આવેલું હતું. તે જમાતખાના ના જમાતભાઇ બંને આંખે અંધ હતા અને છતા પણ તેઓ જમાત ના વજુ માટે કૂવા માથી પાણી સિંચતા હતા. જમાતભાઇ ના આ કાર્ય માં ગુલામહુસૈનભાઈ દરરોજ મદદ રૂપ થતાં અને આવી નિસ્વાર્થ સેવા ની શરૂઆત સાથે ગુલામહુસેનભાઇની ઇસ્માઇલિ જમાતની નિસ્વાર્થ રીતે સેવા કરવાની શરૂઆત કરી. ત્યાર પછી તેઓ એ જમાતખાના ની દૈનિક વોલીંટરી સેવા કરવાની શરૂવાત કરી, જે આજ સુધી શરૂ છે.
ગુલામહુસૈનભાઈ ના નિકાહ કુલસમબેન સાથે થયા છે. કુલસમબેન, પતિનું જમાતી સેવા પ્રત્યેના સમર્પણ થી પ્રેરાઈને, તેઓએ પણ જમાતી સેવા માં ભાગ લેવાનું શરૂ કર્યું. બંને ને સંતાન રૂપી દીકરી છે, પરીનબેન, જેઓ તેમના પતિ અને બાળકો સાથે, મહુવા માજ વસે છે. પોતાના નવાસાઓ ને રમાડતા, ગુલામહુસૈનભાઈ આજે તેમના ધર્મપત્ની, કુલસમબેન સાથે ખુશી ખુશી વસે છે અને ‘શુખર મૌલા‘ કહે છે.
સમય પસાર થતા મહુવા મા ઇસ્માઇલિઓ ની સંખ્યા માં વધારો થયો અને નવા જમાતખાના ની જરૂર જણાઈ. આમ પણ જૂનું જમાતખાનું જર્જરિત હાલત માં હતુંજ, અને ત્યારે યવતમાલ માં ચાંદરાત ના દિવસે જમાતખાનું પડી ભાંગ્યું જેમાં 118 મુરીદોનું મૌત નીપજયું, આના કારણે જલ્દીથી મહુવાના પરસીવલપરા વિસ્તાર ખાતે નવું જમાતખાનું ચણવામાં આવ્યું. આએ જમાતખાના ના ચણતર માં મહુવાના ઘણા ઇસ્માઇલિ ભાઇઓ સાથે ગુલામહુસૈનભાઈ પણ જોડાયા. તેઓએ પાયાવિધિથી તે આખું જમાતખાનું ઉભુ થયું ત્યાં સુધી ચણતર કાર્યમાં સેવા આપી. આજે મહુવા નું આ જમાતખાનું ઘણા બધા ઇસ્માઇલિ ભાઇઓની નામી-અનામી સેવાની યાદ અપાવતું એક પ્રતિક તરીકે ઊભું છે.
ગુજરાતમાં સતત દુષ્કાળ પડવાનું શરૂ થયું, જેના કારણે મહુવામાં ખેતી બિનઉપજાવ બની એટલે ખેડૂતોને જિવનનિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો. આવી કઠીન પરિસ્થિતીમાં ગુલામહુસૈનભાઈએ જિવનનિર્વાહ ચલાવવા માટે માર્કેટમા શાકભાજી વેચવાનું શરૂ કર્યું જે આજે પણ, 77 વર્ષ ની ઉમરે તેમનો નિત્યક્રમ છે.
ગોલ્ડન જયુબિલી દરમ્યાન રાજકોટ ખાતે વોલીંટર ડે ઉજવવામાં આવ્યો જેમાં ગુજરાત ભરના વોલીંટરોને આમંત્રણ આપવામાં આવેલ અને તેઓને સેંટરવાઈઝ મુખીસાહેબ કામડિયાસાહેબ ના હસ્તે વોલીંટરોને આ મેડલ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. આએ અવસરે નેશનલ પ્રેસિડેંટ શ્રી નીઝામુદ્દીન અજાની પણ હાજાર રહ્યા હતા અને તેઓના હસ્તે સીનિયર વોલીંટરોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમાના એક ગુલામહુસેનભાઈ પણ હતા.
હું મારા બચપન ની વાત કહું તો હું ગુલામહુસેનભાઈ ને નાના બાળકોના ના દુશ્મન તરીકે ઓળખતો આવ્યો છું. ગુલુભાઇ ‘ખામોશ અલ્લામહેરઆ દુઆ પડાય છે’ એવો સાદ પાડે એટલે બાળકોને સમજી જવાનું કે હવે આંખો બંધ કરવાની છે. હું તેમને હંમેશા સહનશીલતા થી જમાતની સેવા કરતો જોતો આવ્યો છું અને તેમના વિષે આ આર્ટિક્લ લખવા માટે હું જ્યારે તેમને મળ્યો અને મે તેમને તેમની સેવા માં કશો અણબનાવ બનવા વિષે પૂછ્યું ત્યારે તેઓએ ના પડી અને કહ્યું કે તેઓએ હંમેશા તેમની સેવાનેજ ધ્યાન માં રાખી છે અને સેવાનેજ પ્રાધાન્ય આપ્યું છે. આજે મહુવામાં એક સારી એવી વોલીંટર ટીમ છે અને ગુલામહુસેનભાઈ 77વર્ષની ઉમરે પણ તેઓની સાથેજ ફરજ બજાવે છે અને એમના અનુભવ સાથે તેઓને માર્ગદર્શન આપે છે. આટલા વર્ષ ની નિસ્વાર્થ જમાતની સેવા અને આજે પણ સેવા માં એટલાજ યોગદાન માટે મહુવા ઇસ્માઇલિ જમાત તેઓને ‘બોસ’ તરીકે સંબોધે છે.